એક એવી વનસ્પતિ કે લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી જીવંત રહે છે ! વાત છે “લાખા લૂણી” નામક નાનકડાં,ચપટાં અને થોડા ચીકાશ ઘરાવતા પાંદડાયુક્ત વનસ્પતિની, જે દરેક રોગમાં અક્સર ઇલાજ તરીકે ઉભરી આવે છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે.
તે આખા ભારતમાં તે પછી ગરમ પ્રદેશ હોય કે હિમાલયના ઠંડા પ્રદેશ હોય બધે જ મળી આવે છે. ઘરના ફળિયામાં,ખેતરને શેઢે કે પછી પાદર કે ખુલ્લી જગ્યામાં – ગમે ત્યાં એ ઉગી નીકળે છે. અને ભારતના ઘણાં બધાં ભાગોમાં થાય છે. ગુજરાતમાં તો હરેક ઠેકાણે જોવા મળે છે. તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો.અને વરસાદમાં તે પાણી મળવાથી ફરી વાર લીલી થઈને ફેલાઈ જાય છે.
લુણી જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે છે. અને ઓમેગા 3 હોવાથી તે હ્રદય ના કોઈ પણ રોગો થી બચાવે છે. આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી,હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે. અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શરીર ની શક્તિના સ્તરને વધારી શકાય છે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે, તે બાળકો માટે એડીએચડી જેવા અવ્યવસ્થા ને થવાથી રોકે છે.