રાજકારણમાં અનેક વખત અવારનવાર નેતાઓ દ્વારા બીજા નેતાઓના વખાણ કરવામાં આવતા હોય છે. તેમાં પણ ખાસકરીને તેમના લુકના વિશે વખાણ કરતા જોવા મળી જાય છે. પરંતુ ક્યારેક આ વખાણ કરતા તે હસીના પાત્ર બની જતા હોય છે. આજે કંઇક એવું જ જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના સાંસદ જર્નાદન મિશ્રા દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે અને તેના કારણે તે હસીના પાત્ર બની ગયા છે.
મધ્યપ્રદેશના સાંસદ જર્નાદન મિશ્રાએ એક કાર્યક્રમમાં પોતાના મતદારો સમક્ષ પીએમ મોદીની દાઢીની સરખામણી પીએમ આવાસ યોજના સાથે કરી દીધી છે. જર્નાદન મિશ્રા દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિને ઘર નહીં મળે ત્યાં સુધી પીએમ નરેન્દ્ર મોદીની દાઢીમાંથી ઘરના ઘર ખરતા રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીની દાઢીમાં ઘરના ઘર રહેલા છે. તેઓ જ્યારે પણ પોતાની દાઢી પર હાથ ફેરવે છે ત્યારે ક્યારેક પચાસ લાખ તો ક્યારેક એક કરોડ ઘર તેમાંથી નિકળતા રહે છે. આ દરમિયાન પોતાના નિવેદન અંગે સાંસદ જર્નાદન મિશ્રા દ્વારા સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યું હતુ કે, ગામના લોકોમાં અફવા ફેલાઈ હતી કે, પીએમ આવાસ યોજના બંધ થઈ જવાની છે અને તેમના ભ્રમને દુર કરવા માટે મારા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. લોકો સમજે તેવી ભાષામાં સમજાવવા માટે મારા દ્વારા આવુ નિવેદન આપવામાં આવ્યું હતું.