આજે જ્યારે સુપ્રીમ કોર્ટ નો અયોઘ્યા બાબતે અંતિમ નિર્ણય હતો.ત્યારે સુપ્રીમ કોર્ટ જાહેર કારી દીધું છે કે હવે અયોઘ્યા માં રામ મંદિર જ બનશે જ્યારે મસ્જિદ માં અલગ વ્યવસ્થા કરાશે.અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી બાબરી મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટે તેનાચુકાદામાં બહુ મહત્વની ટીપ્પણી કરી છે.સાથે સાથેજ એ પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે જેરીતે બાબરી મસ્જિદ તૂટી તેના પગલે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બાંધવા માટે વૈકલ્પિક જમીન આપવી દેવામાં આવશે પરંતુ હાલમાં તો રેમ મંદિર જ બનશે.
વાત કરીએ બાબરી મસ્જિદ ની તો અયોધ્યામાં બાબરી મસ્જિદ 6 ડીસેમ્બર, 1992ના રોજ ધરાશાયી થઈ ગઈ હતી.અલાહાબાદ હાઈકોર્ટે બધાને માન્ય રાખી ને આ વિવાદાસ્પદ જમીન ને ત્રણ ભાગમાં સરખી રીતે વહેંચી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે માં આવત ઉલટી થઈ ગઈ અને હવે આ ચુકાદાને અયોગ્ય ગણીને તેને માત્ર બેજ પક્ષ બાજુ સરખી વેંહચી.
જાણી લઈએ વિગતે કે આજે કોર્ટે શું નિર્ણય સંભળાવ્યો.જે ઘડી ની વર્ષોથી અયોધ્યાય વશીઓ રાહ જોઈ રહ્યાં હતાં. તે ઘડી આખરે આવીજ ગઈ આજે અયોધ્યા કેસનો ચુકાદો આખરે આવી ગયો છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે એ રામલલાનો દાવો યથાવત રાખ્યો લીધો છે.મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો સરકરએ આદેશ આપ્યો છે.મસ્જિદ માટે સરકાર દ્વારા ખાસ અલગથીજ વ્યવસ્થા કરવામાં આવશે.સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવા સરકારે આદેશ જાહેર કર્યો છે.સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે.જેથી હવે સમગ્ર ભારત ભરમાં રામ મંદિર ને લઈને આંદોલન ચાલતાં હતાં હવે તે બધાં આંદોલનકારીઓ ને રાહત ના સમાચાર છે કે હવે રામ મંદિર નિર્માણ નક્કીજ છે હવે તેને કોઈ પણ રોકી શકે તેમ નથી.
અયોધ્યાય રામ મંદિર પર સચોટ ચુકાદો આપતા હાઇકોર્ટે જણાવ્યું હતું તે મુજબ ASI એ જેરીત નો દાવો મુક્યો હતો તે મુજબ તે ASI એ કોર્ટ માં એ સાબિત કરી શકયું નથી કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડી ને કરાયું હતું. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પરજ થયુ છે.જમીનની નીચનો ભાગ ઇસ્લામિક નહતો તેવો દાવો છે.સાથેજ વધુ માં એ પણ જાણવા મળ્યું છે કે ASIના વ્યક્તિઓ એ જે રીતે સાબિત કર્યું છે તે મુજબ એ સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ભાગ નીચે મંદિર હતુ.જે હવે કોર્ટ માં પણ સ્પષ્ટ રીતે સાબિત થયું છે.હિન્દુઓની પૌરાણિક વાર્તા અને ગ્રંથો મુજબ તેઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો.
જણાવીએ તો સુપ્રીમ કોર્ટ એ એ પણ કહ્યું હતું.કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં.જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ. સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં.સુનાવણી હાથ ધરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો રદ્દ કરીદેવા માં આવ્યો છે.અને રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો હતો.અને નિર્ણય તેના ફેવર માં આપ્યો હતો.સુપ્રીમ કોર્ટ એ પણ જાહેર કર્યું છે કે હેવ આ જગ્યાએ માત્ર રામ મંદિર ના નિર્માણ માટે ઉપયોગ માં લેવાશે બાબરી મસ્જિદ ને અલગથી જમીન આપી દેવા માં આવશે.
જે રીતે સુપ્રીમ કોર્ટ એ સુનાવણી આપી છે તે મુજબ શિયા બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી છે.છેલ્લા 40 દિવસ સુધી ચાલેલી સતત સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે 16મી ઑક્ટોબરના રોજ ચુકાદો લાઇ લીધો હતો.આ ચુકાદો દેશનો સૌથી જૂના માં જૂનો મામલો છે.જેથી આ બાબતે કોઈ કચાસ ના રહે તે ને ધ્યાન માં રાખી ને 40 દિવસો સુધી નિયમિત સુનાવણી થઇ હતી.આજ સુધીનાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસમાં ક્યારેય આવું નહિ બન્યું જે આ મામલે બન્યું છે.સમગ્ર સુપ્રીમ કોર્ટ નો અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર ચુકાદો જ આ હતો.આથી પેહલાં સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ લગભગ 1973 માં થયેલ કેશવાનંદ ભારતી કેસનો હતો. જેમાં સતત 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.જે બાદ આ સૌથી લાંબો ચુકાદો છે જેને લઈને સમગ્ર દેશ માં હાહાકાર હતો.ત્યારે હવે સમગ્ર દેશમાં રાહત ના સમાચાર આવી ગયાં છે અને હવે અયોધ્યાય માં રામ મંદિર નિર્માણ નિશ્ચિત જ છે.