અયોધ્યાના રામ મંદિરનો ચુકાદો આપનારી બેન્ચ સમક્ષ જ પક્ષકારો રિવ્યુ પીટિશન દાખલ કરી શકે છે. અને ચુકાદાના નિર્ણયને પક્ષકારો રીવ્યુ પિટિશન વિકલ્પ દ્વારા પોતાની વાત કોર્ટમાં મૂકી શકે છે. ક્યુરેટિવ પીટિશનનો વિકલ્પ પણ મળશે, જેમાં મૂળ ચૂકાદા સામે નહિ પરંતુ કેટલીક જોગવાઈ સામે પુન વિચારણા અરજી કરી શકાય છે.
જો શનિવારના દિવસે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતાં વિવાદિત સ્થાન મંદિર માટે કેન્દ્ર સરકારને સોંપ્યું છે. અલબત્ત, બે સદી જૂના આ વિવાદમાં હજુ આ ચુકાદો પણ અંતિમ નહિ હોય. ચુકાદાથી અસંતુષ્ટ પક્ષકારો હજુ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. અયોધ્યા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય વાંચી રહ્યા છે. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. થોડી વાર બાદ રંજન ગોગોઈ કોર્ટ રૂમ પહોંચશે.
રામ મંદિરના નિર્ણયને પક્ષકારો રિવ્યુ પિટીશન એટલે કે પુન વિચારણા અરજી કે જે આ ખંડપીઠ સમક્ષ જ આવે છે. મુખ્ય ન્યાય મૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠ દ્વારા આ સુનવણી અંગે ચૂકાદો આપ્યા બાદ પક્ષકારોની રિવ્યુ પિટીશન દાખલ કરવામાં આવે તો તેવા સંજોગોમાં સુનવણી કરવી કે નહીં તે અંગે સુપ્રીમે નક્કી કરવાનું રહેશે. પક્ષકારો સામાન્ય રીતે રિવ્યુ પિટીશન અંગે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થતી નથી પરંતુ ચેમ્બરમાં થાય છે, જો અરજદાર ઓપન કોર્ટમાં સુનવણી કરવા માટે વિનંતી કરે અને કોર્ટ આ માટે તૈયાર થાય તો ઓપન કોર્ટમાં સુનવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.
રામ મંદિર ચુકાદાના નિર્ણય એ પછી બીજો વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો છે. આ અરજીમાં મૂળ ચુકાદા સામે પુન વિચારણા થઈ શકતી નથી, પરંતુ તેમાં સામેલ કેટલીક જોગવાઈઓ અંગે પુન વિચારણાની અરજી પક્ષકારો દાખલ કરી શકે છે. આમ, હજુ પણ આ વિવાદનો પૂર્ણત અને કાયમી નીવેડો આવીગયો એમ માનવું વહેલું ગણાશે. કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી. અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે.