સામાન્ય રીતે એવું બનતું હોય છે કે તમારે જો ક્રુઝ ની મજા માણવી હોય તો તમારે ગોવા જવું પડતું હોય છે. અથવા તો એવી જગ્યાએ જવું પડે છે જ્યાં ક્રુઝ અવેલેબ હોય પરંતુ ગુજરાતીઓ માટે હવે ખુબજ સારા સમાચાર આવી ગયાં છે અને તે એ છે કે દિવ થી મુંબઈ હવે તમે બાઈ ક્રુઝ જઇ શકો છો.
ગુજરાતના પ્રવાસીઓએ મોટા જહાજ એટલે કે ક્રુઝ વડે દરિયાઈ મુસાફરીના અનુભવ માટે બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં જવું પડે છે.જો કે હવે આ સમસ્યા ફરવાના શોખીનોને નહિ નડે કારણ કે મુંબઈ થી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝરી ક્રુઝને સરકારે લીલી ઝંડી આપી દીધી છે. અને આ ક્રુઝ ના ચલતે હવે તમે દરીયાઈ જીવન નો અનુભવ કરી શકશો જે ખુબજ સુંદર હશે.
સામાન્ય રીતે આપણે ભૂમિ પર ઘણા પ્રવાસો કરો છો. પરતું દરિયામાં એક અલગ જીવન નો આનંદ લેવો એ ખુબજ રસપ્રદ છે.ત્યારે હવે તમારે આ દરિયાઈ જીવન નો આનંદ લેવા અન્ય કોઈ સ્થળ નહીં પરંતુ દિવ જવાનું રહેશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી “કર્ણિકા” નામની લકઝરી ક્રુઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે રવાના થઈ રહી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે.
મનસુખ મંડાવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.આગળ આ ક્રુઝ વિશે વાત કરતા પહેલા જાણી લઈએ કે આ ક્રુઝ નો ટાઈમ ટેબલ કે રીતનો છે.
વાત કરીએ આ ક્રુઝ મુસાફરિ ના દિવસો ની તો ક્રુઝ માં તો હાલના મહિના માં એટલે કે નવેમ્બર મહિના માં આજથી એટલે કે 14 તારીખ ત્યાર બાદ 21 તારીખ અને 28 તારીખ ત્યારબાદ ડિસેમ્બર મહિના માં 12 તારીખ એ અને 19 તારીખે ત્યાર પછી હવે જાન્યુઆરી માં 9 ,16,અને 30 તારીખે ત્યારબાદ ફેબ્રુઆરી માં 6 તારીખ 13 અને 27 એ ત્યારબાદ માર્ચ માં 2 અને 19 તારીખે આ મુજબ ક્રુઝ સેવા ચાલુ રહેશે.
ત્યારબાદ નું ટાઈમ ટેબલ હાજી જાહેર થયું નથી.વાત કરી લઈ કે આ ક્રુઝ સવારી માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા ના રેહશે અને આ સવારી કેટલા દિવસ ની રેહશે.આવો જાણી લઈએ.આ ટુર ૨ રાત્રી અને ૩ દિવસની છે જેમાં મુંબઈથી દીવ થઇને ક્રુઝ મુંબઈ પાછી આવશે.વ્યક્તિદીઠ ભાવ રૂપિયા 13000 થી 16000ની વચ્ચે છે.
ઉનાળામાં વેકેશન સીઝન હોવાથી ભાવ વધુ છે.આગળ જતાં આમ થોડો ફેરફાર જોવા મળી શકે છે. વાત કરી લઈએ કેફળો ભવ્ય છે આ ક્રુઝ તો ક્રુઝ માં 40 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસ વામાં આવશે.જેની મજા તમે રૂમમાં બેસીને, રેસ્ટોરન્ટમાં અથવા ડેક પર બેસીને માણી શકો છે.અહીં તમને રૂમ સર્વિસ પણ પૂરું પાડવામાં આવશે.બને તો તમારે એક વાર જરૂર આ ક્રુઝ ની સવારી કરવી જોઈએ.