આપણે સૌ જાણીએ છીએ કે આજથી એક દશક પેહલાં ભારત ભર માં છુટા છવાયા રાજા રજવાડા ઓ હતા.તેમાં એક વંશજ ભગવાન રામ નો પણ હતો.આજે અમે તમને ભગવાન રામ ના વંશજો વિશે જાણવવા જઇ રહ્યા છીએ.એવું કહેવાય છે કે આજના સમયમાં ભલે લોકતંત્રએ રાજા મહારાજાઓ પાસેથી તેમની તાકાત તથા શાસન છીનવી લીધુ હોય.જો કે એ વાત કહેવી ઠીક નથી રાજા મહારાજા ઓ જાતે પોતાનાં રજવાડા આપ્યાં હતાં તેમની પાસેથી છીનવાય ના હતાં.
આપણે વાત કરીએ ભગવાન રામ ના વંશજો વિશે તો આજે પણ તેમનો શાહી ઠાઠ એક દમ રાજાશાહી જોવા મળે છે.વિગતે આપણે વાત કરીએ તો ભગવાન રામ ના આ વંશજ માં સૌથી યુવાન પદ્મનાભસિંહ છે ફક્ત 21 વર્ષનાં છે અને હાલમાં તેઓ આ રાજ ગાદી પર થી રાજા છે.નવાઈ લાગે તેવી વાત એ છે કે તેઓ 20 હજાર કરોડની સંપત્તિનાં માલીક છે.તમને આ સાંભળવામાં થોડું વિચિત્ર જરૂર લાગશે પરંતુ આ વાત બિલકુલ હકીકત છે.
વાત કરીએ આ રાજવી પરિવાર ની તો સમય ની સાથે તેઓ અલગ અલગ જગ્યા રહેતાં આવ્યા અને હાલમાં તેમનો વંશજ હવે જયપુરમાં સ્થિત છે.પદ્મનાભ સિંહ જયપુરના રાજવી પરિવારના છે.તે જયપુરના રાજવી પરિવારના 303 મા વંશજ છે.તે એક મોડેલ સાથે સાથે પોલો પ્લેયર પણ છે.તેમને ફરવાનો પણ ખૂબ શોખ છે.
મોટાભાગનો સમય તેઓ ફરવામાં જ પસાર કરે છે.અને તે લગભગ 1 મહિના માં એક વાર વિદેશ યાત્રા કરે છે.જયપુર ભારતના સૌથી મોટા રજવાડાઓમાંથી એક છે.જયપુરની સ્થાપના 1727 માં મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા કરવામાં આવી હતી.જયપુરમાં કચ્છવા વંશના રાજપૂતોએ રાજ કર્યુ છે.પદ્મનાભ સિંહ આ વંશનો રાજા છે અને તે તેને આગળ વધારી રહ્યા છે.પોતાના સૌથી અલગ શોખ અને ખાનગી મિલકત ને લઈને તે હંમેશા ચર્ચામાં રહેતાં જ હોય છે.
તમને થતું હશે કે તેઓ કેવી રીતે ભગવાન રામ ના વંશજ થયાં તો તમને જણાવી દઈએ કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ એ ભગવાન રામના પુત્ર કુશના 309મા વંશજ હતા.
આ વાત નો ખુલાસો રાજવી પરિવાર સાથે જોડાયેલા એક વિશેષ હોદ્દેદાર સ્ત્રી પદ્મિની દેવીએ પોતે જ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં આ બાબત જાણવા મળી હતી.
આ સિવાય આ રાજવી પરિવારે તેની ઓફિશિયલ સાઇટ પર પણ આનો ખુલાસો કર્યો છે.અને ત્યારબાદ સૌ કોઈએ તેઓને ભગવાન રામ ના વંશજ તરીકે સ્વીકારી પણ લીધા છે.પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતા પદ્મનાભ સિંહ હાલમાં જયપુરના રામ નિવાસ પેલેસમાં રહે છે. અને તેઓ પોતાની આજ અલગ જીવન શૌલી ના કારણેજ ચર્ચામાં રહે છે.