બાવળનાં ઝાડ બધી જગ્યાએ જોવા મળે છે. આના ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા ઝાડ થાય છે. તેની પાતળી ડાળીઓ દાતણ કરવાના કામમાં આવે છે. આમલીનાં પાન જેવાં તેનાં પાન હોય છે. તેની શીંગ ૪-૫ ઇંચ લાંબી હોય છે અને અડધો ઇંચ પહોળી હોય છે. દરેક શીંગમાં ૧૦ થી ૧૨ બીજ હોય છે.
આયુર્વેદ મુજબ બાવળ એ ખૂબ સારી દવા છે. તેથી જો રોગોમાં બાવળનો ઉપયોગ કરો છો, તો તમને ઘણો ફાયદો થઈ શકે છે. બાવળની છાલ, ફળ, ગુંદર વગેરે ઔષધી તરીકે કામમાં આવે છે. ચાલો જાણીએ કે બાવળમાંથી કયા ફાયદા મેળવી શકાય છે.
વધારે પરસેવો થવાની સમસ્યામાં બાવળના પાન અને હરડેને સરખભાગે વાટી લો. આ મિશ્રણથી આખા શરીરની માલિશ કરો. અને થોડા સમય પછી સ્નાન કરો. થોડા દિવસો માટે આ પ્રયોગનો નિયમિત ઉપયોગ કરવાથી પરસેવો દૂર થાય છે. બાવળના પાનની પેસ્ટ લગાવવાથી પણ પરસેવો બંધ થાય છે.
બાવળના ફૂલને સરસવના તેલની અંદર ઉમેરી બરાબર પકાવી લો. ત્યારબાદ તે તેલને ગાળી લઈ અને દરરોજ કાનની અંદર તેના બે ટીપાં નાખવામાં આવે તો તેના કારણે કાનની અંદર થતા દરેક રોગોમાંથી છુટકારો મળે છે. તે સાથે સાથે કાનમાંથી રસી નીકળતા હોય તો તે પણ ઠીક થઈ જાય છે.
ધાધર મટાડવા માટે બાવળના ફૂલોને પીસી લો. તેને ધાધર વાળા અંગ પર લગાવો. તે ખંજવાળમાં ફાયદાકારક છે. બાવળના પાન પીસીને ઘા પર લગાવો. તેનાથી ઘા તરત જ સારો થાય છે. બાવળના પાન અને દાંડીની છાલનું ચુર્ણ બનાવો. આ મિશ્રણમાં 1-2 ગ્રામ મધ મિક્ષ કરીને ચાટવાથી ખાંસીમાં રાહત મળે છે.
બાવળ ના પાન વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બાવળના પાનની પેસ્ટને વાળમાં લગાવવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યામાં રાહત થાય છે. વાળ મજબૂત અને લાંબા બને છે. જો ઝાડાની સમસ્યા થઈ ગઈ હોય તો તેના માટે બાવળની સિંગો આમળા અને જાયફળના બીજને ઉકાળી લઈ તે પાણી પીવું જોઈએ. આમ કરવાથી ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે.
જ્યારે આંખોમાંથી પાણી વહી જાય છે ત્યારે બાવળના પાનનો ઉકાળો બનાવો. તેમાં મધ ઉમેરી આંજણની જેમ આંખ માં લગાવો. આ આંખોની પાણીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બાવળના પાન અને દાંડીની છાલનો ઉકાળો બનાવી આંખ ધોવાથી તે આંખોના અન્ય રોગોને પણ મટાડે છે.
બાવળ મોંના ચાંદાની સમસ્યામાં પણ ફાયદો કરી શકે છે. બાવળની છાલના ઉકાળથી 2-3 વખત કોગળા કરો. તેનાથી મોંના ચાંદા મટે છે. જો દાંત નો દુખાવો થાય છે તો બાવળની છાલનો પાવડર કરો અને તેમાં બદામની છાલની રાખ ઉમેરી દો. તેમાં મીઠું નાખીને બ્રશ કરો. તેનાથી દાંતના દુખાવા મટે છે. બાવળની નરમ ડાળીઓથી દાતણ કરવાથી દાંત મજબૂત બને છે.