લોહીમાં બેકાર તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સનું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર એકઠા થતા હોય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છે જેને સાદી ભાષામાં પથરી કહી શકાય છે . આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણીને કારણે થતી હોય છે.
લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરો. કારણકે તેમા ઓકસાલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરીનું કારણ બને છે. ઓછું પાણી પીવાની ટેવ થી અને વારસાગત પથરી થવાની શક્યતા રહે છે.
પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે અને તે પથરી સંખ્યામાં એક કે એક થી વધુ હોઈ શકે છે. ઓછું પાણી પીવાથી અને ટામેટાં તેમજ રિંગણ વધારે ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટ્સનું માનીએ તો, ટામેટા અને રિંગણના બીજથી પણ પથરીની સમસ્યા થઈ શકે છે. સતત કબજિયાત રહેતી હોય, કિડનીમાં ઈન્ફેક્શન હોય તો પણ પથરી થાઈ છે.
નાની પથરી તો યુરિનના રસ્તે બહાર નીકળી જતી હોય છે. પરંતુ મોટી પથરીઓને તોડવાની જરૂરત હોય છે. જેના માટે ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કે લેજરનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક પથરી નીકાળવા માટે ઓપરેશનની જરૂરત પડતી નથી.
પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન ટી), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં પચાસ ટકા જેટલું પ્રવાહી સાદું પાણી જ લેવું જોઈએ .
પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ આ પ્રકાર ના પ્રવાહી ન લેવા જોઈએ જેવા કે દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે લેવાનું ટાળવું જોઈએ.
પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી પેટના એક્સ-રે દ્વારા મળી શકે છે. પેટનો એક્સરે પથરીની સારવાર પહેલાં અને સારવાર બાદના ફેરફારો અંગે જાણકારી માટે સૌથી ઉપયોગી પદ્ધતિ છે. સીટી સ્કેન પથરીના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગમાં અવરોધની અત્યંત સચોટ માહિતી માટેની સૌથી વધુ ઉપયોગી તપાસ સાબિત થઈ છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખી ને ઉકાળી ને પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પણ પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે. કળથી પચાસ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી ને પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધી થતી ભયંકર પીડા મટી શકે છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ મળે છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી અને રોજ સવારે પીવાથી પથરી મટાડી શકાય છે. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.