ગોખરુ ખૂબ અકસીર ઔષધ બને છે. કાંટાળાં હોવા છતાં મધુર હોવાથી એને સ્વાદુકંટક પણ કહેવામાં આવે છે. ગોખરુનાં ફળ અને મૂળ બન્ને ઔષધિમાં ઉપયોગ કરવામાં આવે છે. ગોખરું બધા જ પ્રદેશોમાં મળી જતો છોડ છે. ગોખરું ની પ્રકૃતિ ગરમ હોય છે. તે શરીરમાં શક્તિ આપવા વાળું, નાભિની નીચેના ભાગે સોજો ઓછો કરવા વાળું, વીરની વૃદ્ધી કરવાવાળું, વળ્ય રસાયણ, ભૂખ વધારનારું, નબળા પુરુષો અને મહિલાઓ માટે એક દવા પણ છે.
ગોખરું શ્વાસને લગતી સમસ્યાઓ ને અટકાવવામાં મદદ કરે છે. તે શ્વસનતંત્રમાં કફની સમસ્યાને રોકે અને ફેફસામાં રહેલા કફને ઓગાળે છે અને શરીરમાંથી બહાર કાઢે છે. જેથી કફ, અસ્થમા, ઉધરસ જેવી સમસ્યાને પણ અટકાવે છે. આ ઈલાજ માટે 2 થી 3 ગ્રામ ફળનું ચૂર્ણ સુકાયેલા અંજીર સાથે લેવાથી આ સમસ્યા મટે છે.
કીડનીની બીમારીથી લોકો સૌથી વધારે તકલીફમાં રહેતા હોય છે. કેટલાક વ્યક્તિઓને કીડની સ્ટોનનો દુઃખાવો અસહનીય થઈ જાય છે. આવામાં ગોખરું કીડની સ્ટોનથી રાહત અપાવવા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીમાં થયેલ પથરીથી છુટકારો મેળવવા માટે ગોખરું રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં ગોખરુંને ઔષધીય જડી-બુટ્ટી માનવામાં આવે છે.
ગોખરું છાતીમાં દુખાવો મટાડવા માટે ઉપયોગી છે. આ એક પ્રકારે હ્રદયના દુખાવાની કે હાર્ટએટેકની સમસ્યાના લક્ષણો છે. જયારે છાતીમાં દુખાવો થાય ત્યારે ગોખરુંનું ચૂર્ણ અને પાણી કે દુધમાં ગરમ કરીને તેમાં મધ નાખીને સેવન કરવાથી છાતીમાં દુખાવો થતો બંધ થઈ જાય છે. ગોખરૂના ચૂર્ણનું સેવન કરવાથી પેટમાંથી ગેસ બહાર નીકળે છે અને પેટની તકલીફ મટે છે. સાથે મૂત્ર વાટે વધારાના પાણીના જથ્થાને પણ બહાર કાઢે છે.
કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ ગોખરું ઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો દુખાવો મટાડવા માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.
ગોખરુંનું રોજ નિયમિતપણે સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે. એનાથી ડાયાબીટીસનો ખતરો પણ ઘટી જાય છે અને સ્વસ્થ જિંદગી જીવી શકે છે. ડાયાબીટીસના દર્દીઓને ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં ગોખરુંનું સેવન કરીને ડાયાબીટીસને નિયંત્રિત કરી શકાય છે.
ગોખરું મહિલાઓમાં પીસીઓએસને યોગ્ય કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગોખરું વાઝ્યાપણાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. એટલું જ નહી, ગોખરું પીરીયડ્સમાં થનાર દુઃખાવાથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક હોય છે. ગોખરું મહિલાઓમાં ઉમરથી પહેલા જ આવતા મેનોપોઝના ખતરામાં પણ ઘટાડો કરી શકી છે.
એક્ઝીમાંના કારણથી જ્યારે ચામડી પર ખંજવાળ આવવા લાગે ત્યારે ગોખરું ખુબ જ ઉપયોગી થાય છે. એક્ઝીમાની તકલીફમાં ગોખરૂના બીજ અને સુકા પાંદડાનું ચૂર્ણ કરીને ચામડી પર પ્રભાવિત જગ્યાએ લગાવવાથી ચામડીની તકલીફ મટે છે. ગોખરુંના ચૂર્ણ અને એક ચમચી સાકર સાથે એક ગ્લાસ દુધમાં મિશ્ર કરી પીવાથી મૂત્રાવરોધ, મૂત્ર કષ્ટ અને મૂત્રદાહ મટે છે. એક ચમચી ગોખરુંનો ઉકાળો લેવાથી પથરી મટે છે. ગોખરુંના દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપિત્ત મટે છે.