ભગવાન ભોળાનાથનું એક 2800 વર્ષ જૂનું મંદિર છે જયાં આજની તારીખમાં પણ તેમનું ત્રિશૂળ સાચવીને મૂકી રખાયું છે એવું કહેવાય છે આજે એ મંદિર વિશે આપણે વાત કરીશું.
ધાર્મિક માન્યતાના આધારે સૌ કોઈને ખબર છે કે ભગવાન શિવને પોતાનું ડમરું, નાગ અને ત્રિશૂળ અત્યંત પ્રિય છે. તે ક્યારેય આ વસ્તુઓનો પોતાનાથી અલગ નથી કરતા. શિવના સ્વરૂપમાં આ બધું જોડાયેલુ છે પરંતુ શું તમને ખબર છે કે ભગવાન શંકરનું એક એવું મંદિર છે જ્યાં તેમનું ખંડિત ત્રિશૂળ સ્થાપિત છે.
જમ્મૂ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી પાસે પટનીટોપ સાથે એક મંદિર સ્થિત છે. આ મંદિર ભગવાન શિવના પ્રમુખ મંદિરોમાંથી એક છે. પૌરાણિક ગ્રંથોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ મળે છે. અમે તમને આજે આ મંદિર સાથે જોડાયેલી ખાસ અને પ્રાચીન કથા વિશે જણાવીશું.
પટનીટોપમાં છે સુધ મહાદેવનું મંદિર જમ્મૂથી 120 કિમી દૂર પટનીટોપ પાસે સધુ મહાદેવ (શુદ્ધ મહાદેવ) મંદિર સ્થિત છે. આ મંદિરની સૌથી ખાસ વિશેષતા એ છે કે અહીં પર વિશાળ ત્રિશૂળના ત્રણ ટૂકડા જમીનમાં ખોસેલા છે જે પૌરાણિક કથાઓ અનુસાર સ્વયં ભગવાન શિવનું છે.
સુધ મહાદેવ મંદિરનું નિર્માણ લગભગ 2800 વર્ષ પૂર્વનું હોવાનું કહેવાય છે. જેનું પુનઃનિર્માણ લગભગ એક સદી પહેલા કરાયું હતું. આ મંદિરમાં એક પ્રાચીન શિવલિંગ,નંદી અને શિવ પરિવારની મૂર્તિઓ છે.
રાક્ષસ સાથે છે સંબંધ
પુરાણો અનુસાર માતા આ માતા પાર્વતીની જન્મભૂમિ માનતલાઈ હતી. માતા અહીં ઘણીવાર પૂજા કરવા આવતા. એક વખતે તેમની પાછળ સુધાન્ત નામનો રાક્ષસ આવી ગયો. તે પણ શિવ ભક્ત હતો અને પૂજા કરવા આવી ગયો. પૂજા ખતમ થયા બાદ પોતાની સામે દાનવ જોઈને માતા પાર્વતીની બૂમ નીકળી જાય છે.
માતાનો અવાજ સાંભળીને સમાધિમાં લીન ભગવાન શંકરને લાગે છે માતા પાર્વતી કોઈ મુસીબતમાં છે આથી તેમની રક્ષામાટે તેઓ ત્રિશૂળ ફેંકે છે. આ ત્રિશૂળ દાનવના હ્રદયમાં આવીને વાગે છે. બાદમાં શિવજીને ખબર પડે છે તેમનાથી અજાણતા મોટી ભૂલ થઈ ગઈ.
આ બાદ તેઓ સ્વયં પ્રગટ થઈને સુધાન્તને પુનઃ જીવનદાન આપવા ઈચ્છે છે. પરંતુ પોતાના ઈષ્ટ દેવના હાથે પ્રાણ ત્યાગ કરીને સુધાન્ત મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ત્યારે ભગવાન શંકરને સુધાન્તને કહે છે આ જગ્યા સુધ મહાદેવના નામથી જાણીતી બનશે. સાથે જ શિવજીએ ત્રિશૂળના ત્રણ ટૂકડા કરી ત્યાં જમીનમાં ખોસી દીધા.
આ ત્રિશૂળના ટૂકડા મંદિર પરિસરમાં ખુલ્લા છે અને આવનારા ભક્તો તેનો જળાભિષેક કરે છે. આ મંદિરમાં નાથ સંપ્રદાયના સંત બાબા રૂપનાથે વર્ષો પહેલા સમાધિ લીધી હતી. મંદિર બહાર પાપ નાશ કૂંડ છે જેમાં પહાડોમાંથી 12 મહિના પાણી આવતું રહે છે. એવી માન્યતા છેકે તેમાં નહાવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે.
મંદિરથી 5 કિમી દૂર માતા પાર્વતીની જન્મભૂમિ માનતલાઈ છે. અહીં પર માતા પાર્વતીનો જન્મ અને શિવજીના તેમની સાથે વિવાહ થયા હતા. અહીં પર માતા પાર્વતીનું મંદિર અને ગૌરી કુંડ પણ જોવા લાયક છે.