વજન ઉતારવાના ઘણા નુસખા છે. એ પૈકી કેટલાક અમે તમને જણાવીશું, જે તમારી પ્રકૃતિને અનુકૂળ આવે તે અજમાવી શકાય. અરણીનાં મૂળનો ઉકાળો શીલાજિત સાથે સવાર-સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એનાં પાનનો રસ પીવાથી ચરબી ઘટે છે અને વજન ઓછું થઈ જાય છે.
દરરોજ એક પાકા લીંબુના રસમાં 60 ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઊતરે છે. 25 ગ્રામ લીંબુનો રસ અને 25 ગ્રામ મધ 200 મિ.લિ. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તિ બંધ થાય છે અને વધેલો વજન ઓછો થાય છે. સ્થૂળતાં અને ચરબી ઓછી કરી શકાય તો લાંબુ જીવન શક્ય બને.
બદામ ગુણોની ખાણ છે અને જે વજન ઘટાડવામાં જ મદદ કરશે પણ મનને સારું બનાવવા માટે પણ બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ચરબી ઘટાડવામાં મદદગાર છે અને દરરોજ રાત્રે 6 કે 8 બદામ પલાળીને બીજે દિવસે સવારે તેની છાલ કાઢી અને ખાઓ બદામમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ ચરબી ઓછી કરવામાં મદદગાર હોય છે.
માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઊતરી જાય છે. ભૂખ લાગે તેનાથી ઓછું જમવું અને મગ-ભાત અથવા મગની દાળ ખાવાથી પાંચથી છ કીલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોવ ત્યાં સુધી આ પ્રમાણે જ કરવું. નિયમિત રૂપે ગરમાગરમ સૂપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં ચમત્કારિક સફળતા મળે છે.
સ્ત્રીઓને 2200 અને પુરુષોને 2500 કેલરી ખોરાક ની જરૂર પડે. એનાથી વધારા નો ખોરાક ચરબી બને છે. જેથી વજન વધે છે. દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હૂંફાળા પાણીમાં એક આખું લીંબુ નિચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે.
દરરોજ લસણનું સેવન કરવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો અને લસણ ખાવાથી શરીરમાં વધુ પેશાબ થાય છે જે વજન અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ પર પાણી સાથે કાચી લસણની કળીઓ ખાવાથી વજન ઓછું થાય છે.
આદુમાં એવા ઘટકો હોય છે જે ચરબી ઘટાડે છે અને તેથી પેટની ચરબી ઘટાડવા માટે, તમે આદુનું પાણી પણ પી શકો છો અને આ માટે, આદુને બે ટુકડા કરો અને એક કપ પાણીમાં ઉકાળો અને 10 મિનિટ ઉકળ્યાં પછી આદુના ટુકડા કાઢો અને તેને ચા ની જેમ પીવો.
સવારનો ફરજિયાત નાસ્તો કરો. બને તેટલો હેલ્ધી નાસ્તો કરો અને જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ તમારો ખોરાક ઓછો કરો. સવારની શરૂઆત હાઈ ફાઈબરવાળાં, લો ફેટ ખોરાકથી કરો. બે ચમચી એલોવેરા ના જ્યુસ માં એક ચમચી જીરા નો પાવડર ઉમેરો. અને તેને અડધા ગ્લાસ પાણી માં મિક્સ કરો. ખાલી પેટ તેનું સેવન કરો. અને 60 મિનિટ પછી જ કઈ ખાવું.
આ ઉપાયોની સાથે નિયમિત કસરત પણ કરતાં રહેવું. આમ કરવાથી તમારું વજન તરત જ ઓછું થાય છે. સાંજે ખૂબ જ ઓછું અથવા ભાખરી કે પછી ખીચડી જ જમો. દિવસમાં એક વખત લીંબુ પાણી કે પછી વિટામીન C એટલે કે મોસંબી, નારંગીનો જ્યુસ પણ લઈ શકો છો. દિવસમાં 2-30 મિનિટ ચાલવાની કે કસરતની ટેવ પાડો.