મરવાહીના ઘટાદાર જગંલમાં રહેતા પંડો આદિવાસીના લોકો અંગુઠાનો ઉપયોગ કર્યા વગર તીર થી સાચું નિશાન લગાવી દે છે, એ પોતાને એકલવ્યના વંશજ કહે છે.
બિલાસપુર [રાધાકીશન શર્મા].
છત્તીસગઢમાં સ્થિત મરવાહીના ઘટાદાર જગંલો વર્તમાનનાં એકલવ્ય ને અહીંયા વસાવેલ છે , સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે પણ આ સાચું છે,અહીં ના ઘટાદાર જગંલો અને પર્વતો ના પંડો આદિવાસી ઝુપડી બનાવીને રહે છે,એમના ખભા પર લટકેલા તીર કમાન એમની ઓળખાણ બની ગઈ છે,પરંતુ એમની ઓળખાણ આનાથી પણ અલગ છે,તમને હેરાની થશે કે વગર અગુંઠે એકદમ સચોટ નિશાન લગાવે છે જેની કલ્પના કરવી પણ કઠીન છે,તે પોતાને એકલવ્યના વંશજ કહે છે.
ગુરૂ દ્રોણની ગુરૂ દક્ષિણા.
એકલવ્ય એ ગુરૂ દ્રોણ ની માટીની મૂર્તિ બનાવીને ધનુર વિદ્યાની શરૂઆત કરી હતી,એની આ લગન અને ત્યાગ ના કારણે ગુરૂ દ્રોણ પોતાને એનાથી પ્રભાવિત થતાં રોકી શક્યાં ન હતા,પણ જ્યારે એકલવ્ય અને ગુરૂ દ્રોણ સામ- સામે આવ્યા તો ગુરૂ દક્ષીણા ના બદલામાં એકલવ્યનો અંગુઠો માંગી લીધો હતો,એકલવ્ય એ પણ ગુરૂ દ્રોણ ને ગુરૂ દક્ષીણા ના રૂપ માં અંગૂઠો ભેટ કરવામાં જરા પણ વાર ના લગાડી,આજના આ એકલવ્ય પણ એ જ ગુરૂ દક્ષીણાના પ્રત્યે સન્માન પ્રગટ કરતા જ્યારે પણ તીર ચલાવતા સમયે ક્યારેય અંગુઠાનો ઉપયોગ કરતાં નથી!
મરવાહી ના ઘટાદાર જંગલ છે રહેઠાણ.
વિલાસપુર જિલ્લામાં સ્થિત મરવાહી જંગલમાં પંડો આદિવાસીઓ સિવાય બૈગા આદિવાસી પણ રહે છે,પંડો આદિવાસી વિષેશ પછાત જનજાતિમાં ગણાય છે અહીંની હાલત અત્યંત ખરાબ અને મુશ્કેલીઓથી ભરેલા હોય તો પણ આ આદિવાસી અહીંયા મસ્તમૌલા થઈને જીદંગીનો પુરેપુરો આનંદ ઉઠાવે છે,પોતાના પૂર્વજોને તેમના આદર્શ માનવામાં એમના તરફથી એમના સન્માનમાં ક્યારે પણ કોઈ કચાસ નથી રહીં.
ચકાચૌંધથી છે દૂર.
આ શહેરોની ચકાચૌંધથી ઘણા દૂર રહે છે ભણેલા ગણેલાથી દુર આદિવાસી પોતાની પરંપરાને ચલાવવાનું કામ કરે છે,આને આ લોકોની સાધના અને પોતાના પૂર્વજો પ્રત્યે સન્માનમાં જ કહેવામાં આવે કે આજે તે વગર અંગૂઠાના ઉપયોગ એ સચોટ નિશાન લગાવામાં માહિર છે,એમનું કહેવું છે કે એમના પૂર્વજો એવું કરી શકતા હોય તો અમે કેમ ના કરી શકે!
જે એકલવ્યએ ગુરુદ્રોણની મૂર્તિ બનાવી શીખતાં ધનુર વિધા.
જે એકલવ્ય એ ગુરૂ દ્રોણની મૂર્તિ બનાવીને જે ધનુર વિદ્યા શીખેલી હતી, તેના વંશજો એકલવ્યની મૂર્તિ બનાવીને આ વિદ્યાને સાધવામાં લાગ્યા છે.ધનુર વિદ્યા શીખવાડતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે અંગુઠા નો ઉપયોગ ના કરે! પંડો જનજાતિના પ્રમૂખ મંગલસિંહના મુજબ કરી તે આવું કરીને એમના પૂર્વજોને સન્માન આપે છે.તમને જણાવીએ કે પંડો આદીવાસી ભીડભાડ અને ઘોંઘાટ પસંદ કરતા નથી.એ સહકારી મંડળીના કટોકટીમાં છે.એટલું જ નહીં પરંતુ તેમણે આધાર કાર્ડ વિશે પણ કોઈ જ્ઞાન નથી,જેનો ઉપયોગ ઘણી જગ્યાઓ પર કરવામાં આવે છે.