ઘઉંના જવારાથી કેન્સર અને રક્તપિત્ત જેવા અનેક અસાધ્ય રોગ સારા થાય છે. ‘સંજીવની બુટ્ટી’ અને ‘ઘઉંના જવારાનો રસ’ સરખો જ માનવામાં આવે છે. કમળો અને તેનાથી વધીને કમળી ના દર્દી પણ ઘઉંના જવારાના રસપાન કરવાથી રોગમુક્ત બને છે. ડાયાબિટીસ, પાંડુરોગ, ચાંદાં, જાતિય દોષ, જેવાં અસાધ્ય રોગ માત્ર ઘઉંના જવારાનાં રસપાનથી જ સારા થઈ શકે છે.
ઘઉંનું ઘાસ બધાં ધાસમાં ઉત્તમ મનાયું છે. કૅન્સરના દર્દીને જો રોજબરોજ બબ્બે કલાકના અંતરે સો ગ્રામથી અઢીસો ગ્રામ સુધી ઘઉંના જવારાનો રસ આપવામાં આવે તો તેનો રોગ મૂળ માંથી નાબૂદ થઈ જાય છે. એવી વિદેશી ચિકિત્સકોની અનુભવી વાણી જગજાહેર થઈ છે.
બધા પ્રકારના અનાજમાં ઘઉં ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. “ધાન્યરાજ’ એનું ઉપનામ છે. ઘઉંમાં બંસી, દાઉદખાની, પંજાબી, બંગાળી, ખંડવો, રાતડા, વાજિયા, કાઠા, પૂનેમિયા, પીસી વગેરે અનેક જાતો છે. કેન્સર જેવા અસાધ્ય રોગ ઉપર લગામ કરનારા ઘઉંના જવારાની પદ્ધતિ વિકસીને દેશ-પરદેશમાં ખ્યાતનામ બની છે.
મોઢૂ, ડાચું, દાઢ અને દાંતનું કેન્સર જવારાના રસપાનથી મટી શકે છે. પણ જો લોહીનું કેન્સર હોય તો પણ ઘઉંના જવારાના રસથી એ કેન્સરનો દર્દી સારો થાય છે. પણ બરાબર છ મહિના સુધી નિયમિત પણે આ પ્રયોગ ચાલું જ રાખવો જોઈએ. લોહીનું કૅન્સર એટલે ડોક્ટરી ભાષામાં ‘લ્યુકેમિયા’ કહેવાય છે.
યુવાની હોવા છતાં કોઈ યુવક-યુવતીનાં વાળ સફેદ થવા માંડે તો તેણે પણ ઘઉંના જવારાનો રસ દર બે કલાકે એક ગ્લાસ પીવો જોઈએ. એનાથી તેના ધોળા વાળ-મૂળથી જ કાળા થવા માંડશે. યુવાની હોવા છતાં શરીરની ચામડીમાં કરચલીમાં પડી ગઈ હોય એવા યુવક-યુવતીએ ઘઉંના જવારાનો પ્રયોગ અચૂક કરવો જોઈએ.
વૃદ્ધાવસ્થામાં પણ ઘઉંના જવારાનું જ્યુસ પીવાય તો ઘણી તકલીફો ઓછી રહે છે. શરીરમાં ઉર્જા લાવવાની તાકાત ઘઉંના જવારામાં હોય છે. ચામડીના રોગો, મૂત્રાશયના રોગો વગેરે ઉપર ઘઉંના કેન્સરના તમામ જીવાણુનો નાશ કરવાની તાકાત ઘઉંના જવારાના રસ માં છે.
એકાએક ગળું, મોટું કે શરીર કાળું પડવા માંડે તે બીમારી પણ કેન્સર જેવી ગણાય છે. આ રોગમાં ચામડી કાળી પડે અને બરડ થવાની શક્યતાઓ હોય છે. આવા દર્દીઓએ ઘઉંના જવારાનો રસ રોજ દર બે કલાકે સો ગ્રામથી અઢીસો ગ્રામ ત્રણ મહિના સુધી પીવો જોઈએ.
ઘઉંના જવારાના રસથી ચામડીના બધા જ રોગો સારા થઈ શકે છે. ખંજવાળ, સૂકું અને લીલું ખરજવું, શરીર પર લાંબી ઇયળો જેવા જંતુ પડવા, ચામડી કાળી પડવી, દાદર-દરાજ વગેરે ચામડીના રોગો પણ ઘઉંના જવારાના રસથી મટે છે. મૂત્રાશયના રોગો જેવાં કે પથરી, અટકી અટકીને થતો પેશાબ, બળતરા મારતો પેશાબ, ધાતુનું જવું, સ્વપ્નદોષ, પેશાબનો રંગ બદલાવો, આ બધાં જ રોગો જવારાના રસથી સારા થાય છે.
હૃદય પર લાગતું લોહીનું દબાણ, બ્લડ પ્રેશર ઓછું-વધતું હોય, હૃદયનું ધબકવું, સાંધા તેમજ નીચેના ભાગોનો દુખાવો થવો, બધી દવા કરવા છતાં શરદી ના મટે, દમ જેવો અસાધ્ય રોગ, ફેફસાં, લીવરની બીમારી તેમજ કેન્સર અને તેની જેવા બીજા ભયંકર રોગ પર લગામ લાવનારો ઘઉંના જવારાનો રસ ‘સંજીવની જડીબુટ્ટી’ જેવો ગણવામાં આવે છે.