આમ તો નજર લાગવી એક આમ વાત છે.પરંતુ તેનાથી ખુબજ પરેશાની થઈ છે.આ નજર દોષ ના કારને મનુષ્યના જીવન માં અચાનક અનેક પ્રકારની સમસ્યા આવવા લાગે છે. અને બધા ક્ષેત્રોમાં નિરાશા જ મળે છે.એવું પણ કહેવાય છે કે તમારી પ્રગતિથી તમારી આસપાસના લોકોને ઈર્ષા થાય તો ખરાબ નજરના કારણે વ્યક્તિની સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જામાં ફેરવાય જાય છે.આ માટે ઘણાં લોકો ખરાબ નજરને દુર કરવા કેટલાય ઉપાય કરે છે.તો નજર દોષ દુર કરવાના કેટલાક ઉપાય જાણીએ.

તમારા બાળકોની નજર ઉતારવાના કેટલાક ઉપાય.મિત્રો તમારા કોઈ બાળકને નજર લાગી જાય તો તે અચાનક રડવાનું શરુ કરી દે છે અને ખાવાનું અથવા દુધ પીવાનું છોડી દે છે.તેના માટે તમારે બે સુકાઈ ગયેલા લાલ મરચા, થોડું સિંધવ મીઠું, અને થોડા સરસવના દાણા લઈને ત્યાર બાદ તેને બાળકની ઉપરથી નીચે સુધી વારો ત્યાર બાદ તે બધું બાળી નાખો.બળેલા પર જયારે ધુમાડો થવા લાગશે ત્યારે થોડી જ વારમાં ખરાબ નજરની અસર પૂરી થઇ જાય છે.આમ તમે એક રૂની વાટ લો અને તેને સરસવના તેલમાં ડુબળી દો ત્યાર બાદ તે વાટને બાળકની ઉપરથી નીચે સુધી ત્રણવાર વારો અને તેને વગર બાળી નાખો.જયારે તે વાટ પૂર્ણ બળી જશે ત્યારે બાળક પરથી ખરાબ નજરની અસર પણ પૂરી થઇ જશે.

તમારા ધંધા પર લાગેલી ખરાબ નજર ઉતારવાનો સરળ ઉપાય.મિત્રો તમારા ધંધાને નજર લાગી હોય તો તમારે શનિવારે તો એક લીલા લીંબુને પોતાની ઓફીસની ચારે દીવાલોમાં સ્પર્શ કરાવો ત્યાર બાદ તે લીંબુના ચાર ટુકડા કરી ચારે દિશામાં નાખી દો.તેનાથી તમારા ધંધાને લાગેલી ખરાબ નજર જલ્દી જ ઉતરી જશે.જો તમારા ધંધાને નજર લાગી જાય છે તો તમે લોખંડના ચાર ખીલા લો અને તમારા ધંધાના સ્થળમાં ચારે બાજુ લગાવી દો આથી તમાર ધંધાને લાગેલી ખરાબ નજર જલ્દી જ ઉતરી જશે.

જો તમારા ઘર ને લાગેલી ખરાબ નજર લાગી છે તો ઉતારવાના ઉપાય.મિત્રો તમારા ઘરને કોઈ ખરાબ નજર લાગી ગઈ છે તો તમારે શુક્રવાર ના દિવસે આસોપાલવ નો હાર બનાવી ઘર ના મુખ્ય દરવાજા પર લગાવી દો આવું કરવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.તમજ ખરાબ નજર નો દોષ પણ પૂરો થઈ જાય છે અને મિત્રો તમે શનીવારના દિવસે કળા ધોડાની નાળને સરસવના તેલ માં પલાળીને શનિદેવ ના મંત્રો નું ઉચ્ચારણ સાથે ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો.આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ નજર દુર થઈ જાય છે.

Write A Comment