વિશ્વભરના કોરોનાવાયરસથી થતા મૃત્યુ અંગેના અધ્યયનમાં વિટામિન ડીની ઉણપ અને મૃત્યુદર વચ્ચેનો સબંધ છે. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા આ અધ્યયનમાં કોરોનાને લગતા ડેટા ચીન, ફ્રાંસ, જર્મની, ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, યુકે અનેયુએસએની હોસ્પિટલો અને ક્લિનિક્સમાં લેવામાં આવ્યા છે.
મિત્રો આપણે આજે એક ખતરનાખ કોરોના સામે લડી રહ્યા છે.અને કેટલાય લોકો તેમાં મુત્યુ પામ્યા અને કેટલાય હજુ મોત સામે ઝઝુમી રહ્યા છે.અને કેટલાય તો સારા થઈને ઘરે પણ જતા રહ્યા છે.અને પોતાના પરિવાર સાથે શીખીથી જીવન જીવી રહ્યા છે.
10 દેશો પર થયેલા આ સંશોધન પરથી બહાર આવ્યું છે કે ઇટાલી, સ્પેન અને યુકે જેવા દેશોમાં,જ્યાં કોરોનાનું ઉચું મૃત્યુ દર જોવા મળ્યું છે, ત્યાં દર્દીઓમાં વિટામિન ડીનો અભાવ હતો.
પ્રોફેસર બેકમેન અને તેમની ટીમને નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીની મેક કોર્નિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગએ આ બધા દેશોના ડેટાનો અભ્યાસ કર્યો. આ અધ્યયનમાં વિટામિન ડી અને સાયટોકિન સ્ટોર્મ વચ્ચેના સંબંધ વિશે ખાસ સમજાવે છે. સાયટોકીન તોફાન એવી સ્થિતિ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બને ત્યારે શરીરમાં બળતરા વધે છે.
સાયટોકીન તોફાન ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે,તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમના કારણે દર્દીનું મૃત્યુ થાય છે. બેકમેનના જણાવ્યા મુજબ, વિટામિન ડી ફક્ત આપણી રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત બનાવતું નથી, પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિને ખતરનાક રીતે વધારે સક્રિય થવામાં રોકે છે.
શરીરમાં વિટામિન ડીની યોગ્ય માત્રા દર્દીઓને ઘણી મોટી બીમારીઓથી પણ બચાવી શકે છે.જો કે, આ અધ્યયનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિટામિન ડીની યોગ્ય માત્રા દર્દીને કોરોના ચેપથી બચાવી શકતી નથી પરંતુ તે રોગને વધુ જટિલ અને મૃત્યુથી બચાવી શકે છે.